“શાળાએ સરસ્વતીનું મંદિર છે.”

“સમંડા શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.”

Search This Blog

Tuesday, June 29, 2021

વૃક્ષારોપણ કાર્યક્રમ 29-06-2021

વૃક્ષારોપણ કાર્યક્રમ 29-06-2021
આજ રોજ સમંડા શાળામાં 20 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.જેમાં મુખ્ય શિક્ષક શ્રી ડી.એમ.રાઠોડ અને 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા 30 વૃક્ષો બાળકોને ઘરે અને ગામમાં વાવવા માટે આપ્યા.ટોટલ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

વૃક્ષોએ ધરતી પરનું આભૂષણ છે.







વૃક્ષો વાદળાંને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

આપણા દેશમાં થોડાં વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. એ જંગલોમાં અનેક હિંસક પશુઓ વસવાટ કરતાં. જંગલોથી પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતું. વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને કારણે વૃક્ષોમાં વધારો થતો. પરંતુ વસ્તીનો સતત વધારો થતાં રહેઠાણ માટેનાં મકાનો, નિશાળો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત ઊભી થઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે પણ લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો.






માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે આડેધડ માનવવસાહતો સ્થાપી. આને કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાળમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યો નહિ. પરિણામે વનસ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.

રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત છેઃ ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ એક ઝાડ’ વગેરે . આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.5 મી જૂન ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા – વિચારણા થાય છે. તેમાં વૃક્ષારોપણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

No comments:

Post a Comment